Ration Card Rule Changes 2025: રેશન માટે હવે અંગૂઠાની છાપ નહીં ચાલે, મળી જશે OTPથી રેશન!

Ration Card Rule Changes 2025: ભારત સરકારે ગરીબ અને જરૂરિયાતમંદ નાગરિકોને ઓછી કિંમતે રેશન આપવાના હેતુથી રેશન કાર્ડ જારી કરે છે. હાલમાં કરોડો નાગરિકો રેશન કાર્ડના ધારક છે અને અનેક લોકો હજુ પણ નવા રેશન કાર્ડ માટે અરજી કરે છે. 2025માં રેશન કાર્ડ સંબંધિત અનેક મહત્વપૂર્ણ નિયમોમાં બદલાવ કરવામાં આવ્યો છે, જેને દરેક કાર્ડ ધારકે જાણવા ખુબ જરૂરી છે.

નવા રેશન કાર્ડના નિયમો – 2025

  1. e-KYC ફરજિયાત
    હવે દરેક રેશન કાર્ડધારક માટે ઈ-કેવાયસી કરાવવી ફરજિયાત છે. જો e-KYC નથી કરાવ્યું તો રેશન મળવામાં અડચણ આવી શકે છે કે રેશન કાર્ડ રદ પણ થઈ શકે છે
  2. મોબાઈલ OTPથી રેશન
    વૃદ્ધ નાગરિકો કે જેમની અંગૂઠાની છાપ ન લઈ શકાય, એવા લોકોને હવે મોબાઈલમાં આવતા OTP દ્વારા રેશન આપવામાં આવશે. આ ખાસ નિયમથી મોટી રાહત મળી છે
  3. રેશન દુકાનેથી જ KYC પ્રક્રિયા
    નિકટમ રેશન વિતરણ કેન્દ્ર પર જ જઈને KYC પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે
  4. નવા સભ્યનું નામ ઉમેરવી
    જો પરિવારમાં બાળક જન્મે છે કે લગ્ન બાદ નવો સભ્ય આવે છે તો જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરીને તેનું નામ રેશન કાર્ડમાં ઉમેરાવી શકાય છે.

કોણ લાયક નથી?

  • જેમના નામે ચાર ચકકસ વ્હીકલ (Four Wheeler) રજિસ્ટર્ડ છે તેમને રેશન કાર્ડનો લાભ મળતો નથી
  • જો આવા લોકો લાભ લઈ રહ્યા છે તો તેમનું નામ ક્યારેય પણ રદ કરી શકાય છે

નવા અરજદારો માટે મહત્વપૂર્ણ માહિતી

રેશન કાર્ડ મેળવવા માટે નવો અરજદાર નીચે મુજબ લાયક હોવો જોઈએ:

  • આવકવેરા (Income Tax) ચૂકવતો ન હોય
  • બીજું રાજ્યમાંથી રેશન કાર્ડના લાભ લઈ રહ્યો ન હોય
  • દરેક પરિવારના સભ્ય પાસેઆધાર કાર્ડ હોવું જોઈએ
  • ચાર ચકકસ વાહન ન હોવું જોઈએ

આ નિયમોનું પાલન કરીને યોગ્ય દસ્તાવેજો સાથે અરજી કરનાર નાગરિકો સરળતાથી રેશન કાર્ડ મેળવી શકે છે

જરૂરી દસ્તાવેજો તૈયાર રાખો

સરકાર જ્યારે ઇચ્છે ત્યારે નવી જાહેરાતો અથવા દસ્તાવેજોની ચકાસણી કરી શકે છે. તેથી રેશન કાર્ડધારકોએ નીચેના દસ્તાવેજો હંમેશા માન્ય સ્થિતિમાં રાખવા જોઈએ:

  • આધાર કાર્ડ
  • બેંક પાસબુક
  • ઓળખપત્ર (Identity Card)

આ ફેરફારોના ફાયદા

  • છેતરપિંડીમાં ઘટાડો
  • યોગ્ય લાભાર્થી સુધી લાભ પહોંચાડવો
  • ઓનલાઈન અને મોબાઈલ આધારિત સરળ પ્રક્રિયા

નોટ: હંમેશા અધિકૃત સરકારી વેબસાઇટ અથવા સ્થાનિક રેશન દુકાનમાંથી સત્તાવાર માહિતી મેળવો. કોઈ પણ અન્ય સ્રોત પર વિશ્વાસ ન કરો.

Read more-

Leave a Comment