PM Svanidhi Yojana 2025 Gujarat :માત્ર આધાર લિંક કરો અને મેળવો ₹10,000 લોન,ગુજરાતના લાખો લોકોએ લીધો લાભ, હવે તમારો નંબર

PM Svanidhi Yojana 2025 Gujarat:ગુજરાત સરકાર પીએમ સ્વનિધિ યોજનાના અમલીકરણમાં દેશમાં અગ્રેસર બની છે. નવેમ્બર 2024માં 5.20 લાખના લક્ષ્યાંક સામે 92.14% સફળતા સાથે ગુજરાત રાષ્ટ્રીય સ્તરે ચોથા ક્રમે રહ્યું છે. આ યોજનાથી રાજ્યને ભારતમાં કુલ ₹30.47 કરોડની વ્યાજ સબસિડી મળી છે, તેમજ ડિજિટલ વ્યવહારો મારફતે વિક્રેતાઓને ₹15.87 કરોડનું કૅશબૅક મળ્યું છે.

PM Svanidhi Yojana એટલે શું?

પીએમ સ્વનિધિ યોજના ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા 1 જૂન 2020ના રોજ શરૂ કરવામાં આવી હતી. તેનો મુખ્ય ઉદ્દેશ શેરી વિક્રેતાઓને (street vendors) સરળતાથી કાર્યકારી મૂડી (working capital) લોન આપી તેમને પરંપરાગત નાણાંકીય વ્યવસ્થામાં જોડવાનો છે.

ગુજરાતના વિક્રેતાઓએ કેવી રીતે લાભ લીધો?

જુલાઈ 2023માં ગુજરાતે 3 લાખ લોનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો, ત્યારબાદ ઑક્ટોબર 2024માં 4 લાખ લોન પાર કરીને બીજા ક્રમે પહોંચી ગયું હતું. નવેમ્બર 2024માં લક્ષ્યાંક વધારીને 5.20 લાખ લોન કરવામાં આવ્યો અને હાલમાં રાજ્યએ 92.14% સફળતા હાંસલ કરી છે. અત્યાર સુધીમાં કુલ 4,79,141 વિક્રેતાઓને લોનના ત્રણ તબક્કા પ્રાપ્ત થયા છે:

  • પ્રથમ હપ્તો: 4.79 લાખ વિક્રેતાઓ
  • બીજો હપ્તો: 1.71 લાખ વિક્રેતાઓ
  • ત્રીજો હપ્તો: 42,176 વિક્રેતાઓ

લોન લેવા માટે શેની જરૂર પડે છે?

  • મોબાઈલ નંબર આધાર સાથે લિંક હોવો જોઈએ
  • લોન ફક્ત તે લોકોને મળે છે, જેઓ 24 માર્ચ 2020 પહેલા આ કામમાં રોકાયેલા હતા
  • શહેરી, અર્ધશહેરી અને ગ્રામ્ય વિસ્તારોના વિક્રેતાઓ અરજી કરી શકે છે
  • લોનના વ્યાજ પર ત્રિમાસિક સબસિડી મળે છે, જે સીધી ખાતામાં જમા થાય છે
  • કુલ ₹10,000 સુધીની કોલેટરલ-ફ્રી (જામીન વગરની) લોન ઉપલબ્ધ છે

કેવા લોકો લોન લઈ શકે છે?

  • વાળંદની દુકાન ધરાવતા
  • મોચી, ધોબી
  • શાકભાજી અને ફળ વેચનાર
  • સ્ટ્રીટ ફૂડ વેચનાર, ટી સ્ટોલ કે ચાહ વાળા
  • બ્રેડ-પકોડા અથવા ઇંડા વેચનાર
  • હોકર, સ્ટેશનરી વિક્રેતાઓ

ગુજરાતમાં યોજનાનું અમલીકરણ કેમ સફળ રહ્યું?

ગુજરાત સરકારે લક્ષ્યિત વિતરણ શિબિરો, ડિજિટલ સાક્ષરતા કાર્યક્રમો અને નાણાંકીય સંસ્થાઓ સાથે સહયોગ દ્વારા તમામ શેરી વિક્રેતાઓ સુધી યોજનાના લાભ પહોંચાડ્યા છે. દર શુક્રવાર અને શનિવારે લોન વિતરણ કરવામાં આવે છે જેથી લાભાર્થીઓને ઝડપી સહાય મળે.

ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન આપવા ગુજરાતે સતત ઝુંબેશ ચલાવી છે, જેના પરિણામે અત્યાર સુધીમાં વિક્રેતાઓને ₹15.87 કરોડનું કૅશબૅક મળ્યું છે.

Read more-

Leave a Comment