Palak Mata Pita Yojana 2025: ભારતમાં ઘણીવાર બાળકો પોતાના માતા-પિતા ગુમાવવાના દુઃખદ પરિસ્થિતિનો સામનો કરે છે. આવા અનાથ બાળકોને પરિવાર જેવું વાતાવરણ, શિક્ષણ અને યોગ્ય જીવન મળવા માટે સરકાર વિવિધ યોજનાઓ ચલાવે છે. એમાંની એક મહત્વપૂર્ણ યોજના છે પાલક માતા પિતા યોજના 2025 (Palak Mata Pita Yojana 2025).
આ યોજના ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી છે, જે અંતર્ગત અનાથ બાળકને પાળનારા માતા-પિતાને માસિક આર્થિક સહાય આપવામાં આવે છે. આવો જાણીએ આ યોજના વિશે સંપૂર્ણ માહિતી…
યોજનાનું મુખ્ય ઉદ્દેશ્ય
પાલક માતા પિતા યોજના નું લક્ષ્ય છે કે એવા અનાથ અથવા ત્યાગેલા બાળકોને કુટુંબમાં રહેવા જેવું વાતાવરણ મળે અને તેમનો સંસ્કાર, શિક્ષણ અને આરોગ્યની યોગ્ય રીતે સંભાળ થાય.
યોજનાના મુખ્ય લાભો
- અનાથ બાળકોને પરિવાર જેવી સંભાળ મળે છે
- દરેક બાળક માટે ₹3000 માસિક સહાય મળે છે
- 18 વર્ષની વય સુધી લાભ મેળવી શકાય છે
- શિક્ષણ અને આરોગ્ય સેવાઓમાં સુધારો થાય છે
- સમાજમાં બાળકોનું સર્વાંગી વિકાસ થાય છે
કોણ લાયક છે આ યોજના માટે?
બાળકો માટે
- અનાથ હોય અથવા માતા-પિતાએ ત્યાગેલા હોય
- બાળક ગુજરાતનો રહેવાસી હોવો જોઈએ
- બાળકની ઉંમર 0 થી 18 વર્ષ વચ્ચે હોવી જોઈએ
પાલક માતા-પિતા માટે
- ગુજરાતનો રહેવાસી હોવો જરૂરી
- બાળકને ગોદ લઈ તેની દેખભાળ કરતા હોવું જોઈએ
- પરિવાર BPL શ્રેણી હેઠળ આવતો હોય અથવા વર્ષિક આવક ₹2 લાખથી ઓછી હોય
જરૂરી દસ્તાવેજોની યાદી
- બાળકનો જન્મ પ્રમાણપત્ર
- માતા-પિતાનો મૃત્યુ પ્રમાણપત્ર (જોઈએ તો)
- આધાર કાર્ડ (બાળક અને માતા-પિતા બંનેનો)
- રહેઠાણ પુરાવો
- આવક પ્રમાણપત્ર
- બેંક પાસબુકની નકલ
- સ્કૂલ સર્ટિફિકેટ (જો બાળક ભણે છે તો)
- પાસપોર્ટ સાઇઝ ફોટો
કેવી રીતે કરશો અરજી ? Palak Mata Pita Yojana 2025
ઓફલાઇન અરજી પ્રક્રિયા
- જિલ્લા બાળ સુરક્ષા કચેરી અથવા જિલ્લા સમાજ કલ્યાણ કચેરીમાં સંપર્ક કરો
- ત્યાંથી અરજી ફોર્મ મેળવો
- ફોર્મ ભરીને જરૂરી દસ્તાવેજો જોડો
- ફોર્મ જમા કરો
- ચકાસણી પછી સહાય મંજૂર થશે
ઓનલાઇન અરજી પ્રક્રિયા
- https://www.digitalgujarat.gov.in પર જાઓ
- લોગિન કરો અથવા નવા યુઝર તરીકે રજિસ્ટ્રેશન કરો
- Palak Mata Pita Yojana પસંદ કરો
- ફોર્મ ભરીને દસ્તાવેજો અપલોડ કરો
- ફોર્મ સબમિટ કરો અને રસીદ મેળવી લો
મહત્વપૂર્ણ મુદ્દાઓ
- એક પરિવાર મહત્તમ બે બાળકો માટે સહાય લઈ શકે છે
- બાળકોને શાળામાં ભણાવવું ફરજિયાત છે
- આ યોજના સંસ્થાકીય સંભાળના બદલે પરિવાર આધારિત સંભાળને પ્રોત્સાહન આપે છે
- સરકાર સમયાંતરે લાભાર્થીઓની સમીક્ષા કરે છે
Read more-