Godown Sahay Yojana 2025: ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના પાકના યોગ્ય સંગ્રહ માટે “ગોડાઉન સહાય યોજના 2025” અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાનો હેતુ ખેડૂતોને પાકના નુકસાનથી બચાવવા માટે સબસીડી સાથે ગોડાઉન બાંધવામાં સહાયરૂપ થવાનો છે. ખેડૂતોને આ યોજના અંતર્ગત ₹75,000 સુધીની સહાય મળશે.
આ યોજનાનો લાભ રાજ્યના તમામ જમીનધારક ખેડૂતો લઈ શકે છે. આ સહાયથી તેઓ તેમના ખેતરમાં પાક માટે સુરક્ષિત ગોડાઉન બનાવી શકશે, જેથી વરસાદ કે કુદરતી આફત સમયે પાકનું નુકસાન ન થાય.
Godown Sahay Yojana 2025
વિગતો | માહિતી |
---|---|
યોજનાનું નામ | ગોડાઉન સહાય યોજના ગુજરાત 2025 |
વિભાગ | કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ |
લાભ | ₹75,000 સુધીની નાણાકીય સહાય |
લાભાર્થી | જમીનધારક ખેડૂત |
અરજી પ્રક્રિયા | ઓનલાઈન |
સત્તાવાર વેબસાઇટ | ikhedut.gujarat.gov.in |
યોજનાના મુખ્ય ઉદ્દેશો
આ યોજના ખેડૂત મિત્રો માટે મહત્વપૂર્ણ છે કારણ કે ઘણીવાર પાણીઘાણાં કે કુદરતી કારણોસર પાક બગડે છે. ગોડાઉન બાંધવાથી પાકને લાંબા સમય સુધી સુરક્ષિત રાખી શકાય છે. આથી, રાજ્ય સરકારે ખેડૂતોને આર્થિક સહાય સાથે આ ગોડાઉન બનાવવા માટે પ્રોત્સાહિત કર્યા છે.
પાત્રતા માટે જરૂરી શરતો
અરજદાર ગુજરાતનો જમીન ધરાવતા ખેડૂત હોવો જોઈએ
ગોડાઉનનું નિર્માણ ઓછામાં ઓછું 330 ચોરસ ફૂટ વિસ્તાર પર થવું જોઈએ
મોટામાં મોટું બાંધકામ ખેડૂતો પોતાની જરૂરિયાત મુજબ કરી શકે છે
પ્લિન્થ લેવલ જમીનથી ઓછામાં ઓછું 2 ફૂટ ઊંચું હોવું જોઈએ
છત પીસીસી, ગેલ્વેનાઈઝ શીટ, સિમેન્ટ પતરા અથવા નળીયાની બનેલી હોવી જોઈએ
ગોડાઉનમાં ઓછામાં ઓછો એક દરવાજો અને એક બારી હોવી જરૂરી છે
300 ચોરસ ફૂટથી ઓછા બાંધકામને સહાય મળતી નથી
એક જ 8અ ખાતા માટે આજીવન એક જ વખત સહાય મળવી પાત્ર છે
જરૂરી દસ્તાવેજો
અરજદારનું આધાર કાર્ડ
જમીનના 8અ દાખલા
બેંક પાસબુક
રેશન કાર્ડ
બાહેધરી પત્ર (જો સંયુક્ત ખાતેદાર હોય તો)
બાંધકામ સંબંધિત આધાર પુરાવા
જાતિ પ્રમાણપત્ર (જોઈએ તો)
દિવ્યાંગતા પ્રમાણપત્ર (જોઈએ તો)
Godown Yojana Gujarat 2025 માટે અરજી કેવી રીતે કરવી ?
ikhedut.gujarat.gov.in વેબસાઇટ પર જઈને “યોજનાઓ” વિભાગમાં ક્લિક કરો
કૃષિ વિભાગ હેઠળ “પાક સંગ્રહ સ્ટ્રકચર (ગોડાઉન)” યોજના પસંદ કરો
“અરજી કરો” વિકલ્પ પસંદ કરો
નવો અરજીકર્તા હોય તો “ના” પસંદ કરો અને રજીસ્ટ્રેશન કરો
ફોર્મમાં તમામ જરૂરી વિગતો ભરીને “સેવ એન્ડ નેક્સ્ટ” કરો
દસ્તાવેજો અપલોડ કરો અને અંતે “કન્ફર્મ” પર ક્લિક કરો
અરજીઓની પ્રિન્ટ કાઢીને ભવિષ્ય માટે સાચવી રાખો
અરજી બાદની પ્રક્રિયા
અરજીની તપાસ કૃષિ વિભાગ કરે છે અને નિયમો અનુસાર મંજૂરી આપે છે
મંજૂરી મળ્યા બાદ જ બાંધકામ કાર્ય શરૂ થાય છે
બાંધકામ પૂર્ણ થયા બાદ દસ્તાવેજો સાથે જિલ્લા કૃષિ કચેરીમાં હાજર થવું જરૂરી છે
તમામ પ્રક્રિયા બાદ સબસીડીની રકમ સીધા ખેડૂતના ખાતામાં જમા થાય છે.
Disclaimer
આ લેખમાં આપવામાં આવેલી માહિતી વિવિધ સ્રોતો અને સરકારી વેબસાઇટ પર આધારિત છે. યોજના સંબંધિત વધુ માહિતી માટે કૃપા કરીને સત્તાવાર વેબસાઇટ ikhedut.gujarat.gov.inની મુલાકાત લો.
Read more-