PM Awas Yojana 2025 Registration: મોટી ખબર! પીએમ આવાસ યોજના માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ – તુરંત કરો અરજી

PM Awas Yojana 2025 Registration: PM Awas Yojana 2025 માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન શરૂ થઈ ચૂક્યું છે. હવે કાચા ઘરમાં રહેતા અને નિરાધાર નાગરિકો પાક્કા ઘરની સહાય માટે અરજી કરી શકે છે. જાણો સંપૂર્ણ પ્રક્રિયા, લાયકાત અને જરૂરી દસ્તાવેજો.

પાક્કા ઘરની સહાય માટે PM Awas Yojana 2025

ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી પીએમ આવાસ યોજના હેઠળ આર્થિક રીતે નબળા અને કાચા ઘરમાં રહેતા નાગરિકોને પાક્કા ઘર બનાવવાની માટે મદદરૂપ થતી રકમ આપવામાં આવે છે. જો તમે હજી સુધી આ યોજનામાં અરજી કરી નથી તો આ તમારું સારો મોકો છે.

  • યોજનાનું નામ: પીએમ આવાસ યોજના 2025
  • લક્ષ્ય: કાચા ઘરમાં રહેતા અને નિરાધાર નાગરિકોને પાક્કાઘર માટે સહાય
  • મળતી રકમ: સમતલ વિસ્તારોમાં ₹1,20,000 અને અસમતલ વિસ્તારમાં ₹1,30,000
  • અરજી પ્રક્રિયા: ઓનલાઈન
  • લાભાર્થી માટે શરતો: માત્ર કાચા ઘરમાં રહેતા, જે પેહલા આવાસ યોજના હેઠળ લાભ ન લીધો હોય

પીએમ આવાસ યોજના માટે લાયકાત

  • અરજદારે કેન્દ્ર કે રાજ્ય સરકારની કોઈ પણ આવાસ યોજના હેઠળ પહેલેથી લાભ ન લીધો હોય.
  • માત્ર કાચા ઘરમાં રહેતા અથવા નિરાધાર નાગરિકોને જ લાભ મળશે.
  • જો અરજદારે સરકારી નોકરી કરે છે કે આવકવેરો ભરતો હોય તો તેને આ યોજનાનો લાભ મળતો નથી.
  • અરજદાર પાસે જરૂરી તમામ દસ્તાવેજો હોવા આવશ્યક છે.

જરૂરી દસ્તાવેજો

  • આધાર કાર્ડ
  • બેંક પાસબુક
  • રેશન કાર્ડ
  • મનરેગા જોબ કાર્ડ (જો હોય તો)
  • પરિવારના સભ્યોના આધાર કાર્ડ
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • માન્ય મોબાઇલ નંબર

પીએમ આવાસ યોજના માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરશો ? PM Awas Yojana 2025 Registration

  1. સૌથી પહેલા PMAYG ની સત્તાવાર વેબસાઇટ અથવા PMAYG App Google Play Store પરથી ડાઉનલોડ કરો.
  2. એપ ઇન્સ્ટોલ કર્યા પછી તેને ઓપન કરો અને આધાર નંબર દાખલ કરો.
  3. આધાર સાથે ફોટો વેરિફિકેશન કરો.
  4. હવે ફોર્મ ખુલશે જેમાં સંપૂર્ણ વિગતો ભરો – નામ, સરનામું, પરિવારની માહિતી વગેરે.
  5. જરૂરી દસ્તાવેજોની વિગતો દાખલ કરો અને અપલોડ કરો.
  6. ફોર્મ ફરી તપાસી નાખો અને પછી સબમિટ કરો.

આ રીતે તમારું PMAY 2025 Registration સફળતાપૂર્વક થઈ જશે.

સહાય કેવી રીતે મળે છે?

આ યોજના હેઠળ મળનારી રકમ beneficiary ના બેંક ખાતામાં ત્રણ હપ્તામાં મોકલવામાં આવે છે. ઘણા રાજ્યોમાં રાજ્ય સરકાર પણ વધારાની રકમ આપે છે જેથી ઘરનું કામ સરળતાથી પૂર્ણ થઈ શકે.

યોજનાની ખાસિયતો

  • દરેક રજીસ્ટર્ડ નાગરિક માટે પસંદગી બાદ યાદી જાહેર થાય છે.
  • શહેરી અને ગ્રામિણ બંને વિસ્તારોના નાગરિકો આ યોજના હેઠળ આવરી લેવાય છે.
  • છેલ્લા 10 વર્ષથી પીએમ આવાસ યોજના દ્વારા લાખો પરિવારોને ઘર મળ્યું છે.
  • ગરીબ અને મધ્યમ વર્ગ માટે આ એક બહુમૂલ્ય સહાય છે.

Read more-

Leave a Comment